Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : નવલખી દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અદાલત.

Share

વડોદરામાં 14 વર્ષની પીડિતા પર નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

વડોદરામાં નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આજે બપોરે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો જેમાં સરકારી વકીલ પ્રવીણ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું છે કે આ કેસમાં પુરાવાઓ નીકળી જોડવી અત્યંત મુશ્કેલ હતી તેવા સંજોગોમાં તમામ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી હતી પરંતુ અદાલતે તમામ પુરાવાઓને ધ્યાને લઇ પોક્સો અદાલતે ન્યાયાધીશ દ્વારા આરોપીઓ કિશન માથાસુરિયા અને જશા સોલંકીને દોષિત જાહેર કરીને આજીવન કેદ એટલે કે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આરોપીઓ ગમે તે હોય દુષ્કર્મની પીડિતોને ન્યાય મળવો જોઇએ તે હેતુથી સમાજમાં દાખલો બેસાડવા માટે આ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી લોકો આ પ્રકારના કૃત્યો કરવા માટે એક વખત વિચાર કરે તેવું અહીં પીપી વકીલે મીડિયા સમક્ષ માહિતી આપી છે.

Advertisement

Share

Related posts

ગરુડેશ્વર તાલુકાના ગોરા-ગળતી ફળીયામાં કુદરતનો અદભુત ચમત્કાર… ચંદનની વર્ષા થઇ

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કલા શરીફ ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો ૧૪ મો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી માંથી શંકાસ્પદ મટીરીયલ સાથે એકને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!