Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા ગરીબ કલ્યાણ મેળામાં ૧૫ આરોગ્ય સેવા વાનોનું લોકાર્પણ.

Share

રાજ્યના આરોગ્ય વિભાગે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વડોદરા શહેરી વિસ્તારમાં આરોગ્ય સેવાઓના મજબૂતીકરણ માટે ૧૫ આરોગ્ય સેવા વાનો ફાળવી છે. મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે સાંસદ, મેયર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરીને મહાનગરપાલિકા આરોગ્ય તંત્રને સુપ્રત કરી હતી.

આ વાનો દ્વારા નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના બાળ કિશોરોને ૪ડી પ્રમાણેની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં જન્મજાત ખામી, ઉણપ, રોગો અને વિલંબિત વિકાસને લગતી આરોગ્ય સેવાઓનો સમન્વય થાય છે.

Advertisement

આ વાનો સમયાંતરે શાળાઓ, બાળ મંદિરો, આંગણવાડી કેન્દ્રો ઇત્યાદિની મુલાકાત લેશે અને ઉપર જણાવ્યા અનુસાર ૪ડી વિષયક તપાસ કરશે, જરૂરી સારવાર આપશે અને યોગ્ય કિસ્સાઓમાં રેફરલ સારવારનું સંકલન કરશે. સારવારની તાકીદની જરૂર હોય તો સયાજી કે ગોત્રી જેવી હોસ્પિટલોમાં પીડિતોને લઈ જવાની વ્યવસ્થા કરશે. આ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.


Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાના શોપીંગ સેન્ટર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે 155 ગ્રામ ચરસ સાથે બે આરોપીને ઝડપી પાડયાં છે.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને હસ્તે થશે ઉદઘાટન : કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઓનલાઈન છેતરપીંડીના બનાવો વધ્યા : વકીલ સહિત ત્રણ અલગ-અલગ લોકોએ અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!