Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યના તલાટીઓએ પડતર માંગણીઓનો નિકાલ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી છે.

Share

રાજ્યના તલાટીઓ વિવિધ માંગણીઓનું નિરાકરણ નહી આવતાં તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલના એલાન મુજબ વાલીયા તાલુકાના તલાટી મંડળે વાલીયા મામલતદાર જે.જે રાઠવા તમેજ વાલીયા તાલુકા વિકાસ અધિકારી કે.કે પટેલને આ બાબતે આવેદન પત્ર પાઠવી હડતાલમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. જેથી તાલુકાની ગ્રામ પંચાયતોમાં તમામ જાતની કામગીરીઓ ઠપ થઈ જશે. રાજ્યના તલાટીઓની વર્ષો જુની માંગણીઓનું નિરાકરણ લાવવા શરૂ કરેલા શાંત આદોલનનું પરિણામ નહી આવતા સરકારને ભીસમાં લેવા તા. ૨૨મીથી અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન અપાયું છે. આ હડતાલમાં વાલીયા તલાટી મંડળ પણ જોડાશે તેવું વાલીયા તાલુકા મંડળના પ્રમુખ મુકેશભાઈ પંડીતે જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

નાંદોદના પાટણા ગામે ગટર લાઈનનું ખોદકામ કરતા પાણીની પાઇપ લાઈનો તૂટી જતા પાણીનો કકળાટ

ProudOfGujarat

ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોની થઈ જાહેરાત

ProudOfGujarat

રાજપીપળામાં ત્રણ દિવસ લોકડાઉન : પ્રથમ દિવસે તમામ બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!