Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ મોગરાવાડી તળાવમાં ગંદકી બાબતે રજૂઆત કર્યા બાદ ગણતરીની કલાકમાં સાફ-સફાઈ કરવામાં આવી.

Share

વલસાડ મોગરાવાડીમા આવેલુ તળાવમા છેલ્લા પાંચ થી છ દિવસથી દુર્ગંધ ફેલાતી હોય જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો હોય જેને લઇને વોર્ડના સભ્યોએ વલસાડ નગરપાલિકા પ્રમુખ તથા સીઓને રજૂઆત કરી હતી રજૂઆત કયા બાદ ગણતરીના કલાકોમાં સાફ-સફાઈ ચાલુ થઈ ગઈ હતી.

વલસાડ મોગરાવાડી સુખી તલાવડી ઉપર આવેલ તળાવમાં છેલ્લા પાંચથી છ દિવસથી તળાવના ગંદા પાણીથી દુર્ગંધ ફેલાતી હોય જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં લોકો ત્રાસી ગયા હતા જાહેર આરોગ્યને લક્ષમાં લઇ જાહેર હિતમાં કોઈ ગંભીર બીમારી તથા તળાવમાંથી આવતી અસહ્ય દુર્ગંધને દુર કરી આજુબાજુના રહીશોને સંભવિત ગંભીર બીમારી તથા રોગચારો ન ફેલાય તે માટે વલસાડ નગરપાલિકાના સભ્ય જાકીરભાઇ પઠાણ વિજયભાઈ પટેલ અને સંજયભાઈ ચૌહાણે વલસાડ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કથા સીઓ જેયૂ વસાવાને રજૂઆત કરી હતી. રજૂઆતની ગણતરીની કલાકોમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ, કિન્નરીબેન, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર કાન્તીભાઈ પાલિકાના કર્મચારીઓ લઈને તળાવ પર પહોંચી ગયા હતા અને જાતે ઊભી રહીને ગંદકી દૂર કરાવી હતી જેથી પાલિકા સભ્યોએ પ્રમુખનો આભાર માન્યો હતો.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ઝઘડીયાની બોસ્ટીક ઇન્ડિયા કંપની દ્વારા ખરચી પ્રાથમિક શાળા ખાતે સ્માર્ટ ક્લાસ શરૂ કરાયા.

ProudOfGujarat

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ પ્રતિરોધક દવાઓના 6860 ડોઝનું વિતરણ.

ProudOfGujarat

સુરત : સતત વધી રહેલા જાતીય સતામણીના કેસોને રોકવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે સુરતના મહિલા આઇપીએસ અધિકારીએ માર્મિક કવિતા રજૂ કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!