Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભગવાન દ્વારકાધીશજી ના મંદિર પર ધ્વજા રોહણ પ્રસંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયો

Share

*શિક્ષણ સચિવ વિનોદ રાવ ખાસ ઉપસ્થિત રહ્યા

દ્વારકા મુકામે ભગવાન શ્રી દ્વારકાધીશજી ના મંદિરે ધ્વજા રોહણ કાર્યક્રમ મા શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, રાજ્ય સંઘ ના પ્રમખ દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો ની ઉપસ્થિત મા પવિત્ર દ્વારકાધીશ જી ના મંદિર પર ધ્વજા રોહણ કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો ધ્વજા રોહણ પેહલા ગુજરાત રાજ્ય સંઘ ની સંકલન સભા પણ રાખવામાં આવી હતી જ્યાં સુરત જિલ્લા માંથી એરિકભાઈ ખ્રિસ્તી ને રાજ્ય સંઘ ના કાર્યધ્યક્ષ તરીકે નિમણૂક પત્ર આપવામાં આવેલ હતા આ ઉપરાંત અન્ય જિલ્લા ના શિક્ષકો ને પણ વિવિધ હોદ્દા આપવામાં આવેલ હતા આ ઉપરાંત શિક્ષણ વિભાગ ના સચિવ ડો વિનોદ રાવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સંઘ ના હોદ્દેદારો તેમજ કિરીટભાઈ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતુ, તેમજ શિક્ષણ ને લગતા અન્ય મુદ્દા ની પણ ચર્ચા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ મા સુરત જિલ્લા માંથી કિરીટભાઈ પટેલ,અરવિંદભાઈ ચૌધરી,અનિલભાઈ ચૌધરી, વિશ્વજીત ભાઇ ચૌધરી, બળવંતભાઈ પટેલ,એરિકભાઈ ખ્રિસ્તી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા:- વાંકલ


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસીની અમલકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં કામદારોને ગેસની અસર.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ખેતી વિષયક મશીનરી/ઓજારોની દુકાનો, હાઈ-વે પર ટ્રકોના રિપેરિંગ માટેની ખુલ્લી રાખી શકાશે.

ProudOfGujarat

ભરૂચના સીટી સેન્ટર સામેથી રૂપિયા 11 લાખથી વધુનો પ્રતિબંધિત દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!