Proud of Gujarat
FeaturedGujarat

વિરમગામના શિવ મહેલ બગીચામાં કુંવારીકાઓને સુકામેવાનું વિતરણ કરાયુ…

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ગૌરીવ્રતની કુવારીકાઓ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરી રહી છે ત્યારે ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સ્મશાન ગૃહમાં ધી ટાઉન ક્લબ ઓફ વિરમગામ દ્વારા કુવારીકાઓને સુકોમેવો, વેફર્સ, ફ્રુટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. વિરમગામના શિવ મહેલ સ્મશાન ગૃહના બગીચામાં ગૌરીવ્રત દરમ્યાન કુંવારીકાઓ કિલ્લોલ કરી રહી છે અને સાંજ પડતા કુવારીકાઓ અને બહેનોથી બગીચો ઉંભરાય જાય છે. ગૌરીવ્રત દરમ્યાન શિવ મહેલમાં કુંવારીકાઓ વિવિધ રમતો રમીને આનંદ માણી રહી છે. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે ધી ટાઉન ક્લબ ઓફ વિરમગામ પ્રમુખ મહેશ પટેલ, મંત્રી વિવેક ગુપ્તા, પ્રકાશ વોરા, બળદેવ કેલા સહિતના સેવાભાલી લોકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામમાં ચર્ચાઇ રહ્યુ છે કે વિરમગામનો બગીચો સ્મશાન જેવો ઉજ્જડ લાગી રહ્યો છે અને શિવ મહેલ સ્મશાન ગૃહના બગીચામાં કુંવારીકાઓ કિલ્લોક કરી રહી છે.

Advertisement


Share

Related posts

“શિવભક્તોનો અખંડ તહેવાર એટલે શિવની રાત્રી મહા-શિવરાત્રી આવી રહી છે સંગ મહાદેવને ભરૂચ લાવી રહી છે.”૨૦૨૩ ની આવનારી મહાશિવરાત્રીની શિવભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 28 પોઝીટીવ કેસો નોંધાતા રહીશોમાં ભયનો માહોલ કુલ સંખ્યા 503 પર પહોંચી.

ProudOfGujarat

સ્વંત્રત સેનાની અને પ્રખર પત્રકાર સ્વર્ગીય હિંમતલાલ ગાંધીજીને ફાળવવામાં આવેલ જગ્યા ખાલસા કરવામાં આવી જાણો કેમ ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!