Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં તલોદરા ગામે ખેતરમાં ચરતી ત્રણ બકરીઓનો દીપડાએ શિકાર કર્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે રહેતા ભદ્રેશભાઈ કાલીદાસભાઈ વસાવા પશુપાલન તથા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે તેમની બકરીઓ તલોદરાથી કડવા તલાવ ગામ જવાના રસ્તા પર આવેલ શેરડીના ખેતરમાં ચરતી હતી તે દરમિયાન અચાનક ધસી આવેલા એક દીપડાએ ચરી રહેલી ૩ બકરીઓ પર હુમલો કરી દીધો હતો. દિપડાએ એક પછી એક ત્રણે બકરીઓનું મારણ કર્યું હતું. પશુપાલકે તેની બકરીઓનું મારણ થતા ઝઘડિયા રેંજ ફોરેસ્ટ ઓફિસને આ બાબતની જાણ કરી હતી. મળતી વિગતો મુજબ વનવિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા કરવા પાંજરુ મૂકવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા પૂરના કારણે નર્મદા કિનારે કાયમી વસવાટ કરતાં દીપડાઓ હવે ઉપરવાસમાં આવી રહ્યા છે ત્યારે પશુઓનું મારણ કરવાની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દિપડાએ બકરીઓ પર હુમલો કરતા સીમમાં જતા એકલદોકલ માણસો પર પણ દિપડો હુમલો કરી શકે એવી દહેશતની સાથે જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં દિવાળીનાં તહેવારને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

આજે બીજા દિવસે પણ ભરૂચ જિલ્લામાં ધુમ્મસ નું વાતાવરણ શું સૂચવે છે ??

ProudOfGujarat

સુરતમાં પાંડેસરા-વડોદ રોડના આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!