Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં દિવસેને દિવસે વધતુ જતુ કોરોના સંક્રમણ : સેવા રૂરલનાં લેબ ટેકનીશિયનનો રિપોર્ટ પોઝિટિવ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધુ એક કોરોના સંક્રમિત કેસ બહાર આવતા કોરોના સંક્રમણનો આંક દિવસે દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૯ જેટલા કોરોના પોઝિટિવ કેસો તાલુકામાં આવી ગયા છે.મળતી વિગતો મુજબ ઝઘડિયા સેવા રૂરલ સંચાલીત શારદાકુંજ સોસાયટીમાં રહેતા અને સેવા રૂરલની લેબોરેટરી વિભાગમાં લેબ ટેકનીશિયન તરીકે ફરજ બજાવતી છાયાબેન રામજીભાઇ વસાવા ઉ.વ.૨૨ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે ઉચો આવી રહયો છે જે હાલમાં ૬૯ પર પહોંચ્યો છે. ઝઘડિયા પીએચસી દ્વારા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. તેમજ પીએસસી દ્વારા ૨૭ પરીવારના સર્વે કરી ૧૫૪ જેટલા લોકોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સેવા રૂરલ ઝઘડિયામાં પહેલાં મેઇલ નર્સ, ડ્રાઇવર, ફીમેઇલ નર્સ, આંખ વિભાગના કર્મચારી અને હવે લેબ ટેકનીશિયન યુવતીને કોરોના પોઝિટિવ આવતા સેવા રૂરલમાં કોરોનાનુ સંક્રમણ ઝડપભેર ફેલાઈ રહ્યું હોય તેમ જણાય છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદ : ટપાલ વિભાગ દ્વારા રક્ષાબંધનને અનુલક્ષી વોટરપ્રૂફ રાખી કવરનુ વેચાણ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ProudOfGujarat

સુરત : વેડરોડ ખાતે સૂર્યા મરાઠીની ઓફિસમાં આજે સાતેક જેટલા અજાણ્યા ઈસમો આવીને સૂર્યા મરાઠીને ચપ્પુના ધા ઝીકી હત્યા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!