Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ માટે ૮.૫૦ કરોડની ફાળવણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા કુલ પાંચ જેટલા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, રાજ્યસભાના માજી સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ઝઘડીયા ભાજપાના માજી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ માટીએડા, નેત્રંગ તાલુકા ભાજપા માજી પ્રમુખ માનસિંગભાઇ વસાવા તેમજ ઝઘડીયા ભાજપા અગ્રણી રવજીભાઇ વસાવાની રજુઆતથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા આ બે તાલુકાઓના કુલ પાંચ જેટલા રસ્તાઓ કાચાથી ડામરવાળા બનાવવા માટે રૂ.સાડા આઠ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ રસ્તાઓમાં ધારોલીથી ભિલોડ રોડ, માંડવીથી જામોલી રોડ, વણખુંટા પાડાથી કોલિયાપાડા રોડ, નવાગામ મોરતલાવ રોડ તેમજ વિરવાડીથી માલપોર રોડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અગ્રણીઓની રજુઆતથી આ બન્ને તાલુકાના આ ગ્રામ્ય રસ્તાઓનું રૂ.૮.૫૦ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવશે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર એરસ્ટ્રીપનો પ્રથમ તબક્કો પૂર્ણ; ગુજરાતનો પાંચમો સૌથી લાંબો રનવે ₹105 કરોડમાં તૈયાર

ProudOfGujarat

સર્વપ્રિય નેતા સ્વ.અહમદ પટેલના જન્મદિવસ નિમિતે અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટે ફ્રી ઓ.પી.ડી કન્સલ્ટેશનનું આયોજન કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!