Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Share

ગત તારીખ 25/1/2019 ના રોજ ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામના સરપંચ જીગ્નેશ વસાવાએ વનવિભાગને દીપડો ફરતો હોવા અંગે જાણ કરી હતી અને જે તે સમયે ઝધડીયા વન વિભાગની ટીમે પાંજરું મૂક્યું હતું. દરમિયાન તારીખ 29 મી જાન્યુઆરીના રોજ સવારે આ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થઇ જતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ અંગેની જાણ ઝધડિયા રેન્જના ફોરેસ્ટ ઓફિસર વી.ઝેડ.તડવી અને રાજપારડીના ફોરેસ્ટ ઓફિસર એમ.કે.વસાવાને કરાતા ભગત ફળીયા ગામે મુકેલ પાંજરે પૂરાયેલા દીપડાનો કબજો મેળવી તેને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

બોડીગાર્ડ બન્યો કલાકાર : અંકલેશ્વરના ફૈઝાન સૈયદની અભિનય ક્ષેત્રે ઉડાન…!!

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા ૧૫૦૬૫૯ મતથી આગળ…

ProudOfGujarat

વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમો પ્રારંભ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!