Proud of Gujarat
FeaturedGujaratINDIATop NewsTravel

ભરૂચ રેલવે સ્ટેશનની મુલાકાત લેતા પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તા .ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સુખ સુવિધામાં વધારો કરાશે …..

Share

 

Advertisement

આજ રોજ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પચ્છિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ મુલાકાત લીધી હતી .એનુયલ ઇન્સ્પેકશન દરમિયાનની મુલાકાતમાં રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે ભરૂચ રેલવે સ્ટેશન પરથી જતા-આવતા તમામ મુસાફરોની સુખ-સુવિધાઓમાં વધારો કરાશે .

આ અગાવ ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ રેલવે સલાહકાર સમિતિના જીતેન્દ્ર રાજપૂત દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનના નવીનીકરણ તેમજ વિવિધ રેલવે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ અંગે રજુઆત કરાય હતી .

રેલવે મંત્રી પિયુષ ગોયલ તેમજ જનરલ મેનેજર એ.કે.ગુપ્તા સમક્ષ રજૂઆતો કરાતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાંદ્રા-જયપુર સુપરફાસ્ટ ટ્રેન ,અજરત નિજામમુદીન,ગરીબ રથ,સુરત-મુજફરપુર તથા બાંદ્રા -ગોરખપુરને સ્ટોપેજ આપવા રજુઆત કરવામાં આવી હતી .

આ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દેહરાદૂન-કોચીવેલી,અમરુતસર કોચીવેલી ,નિજામમુદીન-તિવેન્દ્રમ સુપર ફાસ્ટ તેમજ મેરૂતસાગર જેવી સુપરફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે પણ પચ્છિમ રેલ્વેના ZRUCC સભ્ય જીતેન્દ્ર રાજપૂત દ્વારા અસરકારક રજુઆત કરવામાં આવી હતી .

આ ઉપરાંત પાલેજ ખાતે દાદરા-અજમેર ટ્રેનના સ્ટોપેજ અને કરજણ ખાતે અંડર-પાસ બનાવવા અને રાત્રીના ૧૨ કલાકથી સવારના 6 કલાક સુધી કરજણ ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજ મળે તેવી રજુઆત કરાય હતી .જેના સાનુકૂળ પ્રત્યાઘાત પડે તેવી સંભાવના છે .


Share

Related posts

વાંકલ: માંગરોળના વડ ગામે સરધસ અને જાદુના ખેલ બતાવનારા જાદુગર સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

બોરાળા નજીક ત્રણ સિંહ ટ્રેન ની અડફેટે આવી જતા મોત ને ભેટ્યા

ProudOfGujarat

ભરૂચ શહેર માં એક તરફ પાણી નો કકળાટ અને લોકો માં રોષ છવાયો છે તો બીજી તરફ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પહેલા શહેર ના માર્ગો ઉપર ના ડિવાઈડર ની સાફ સફાઈ કરવા ફાયર ના કર્મીઓ હજારો લીટર પાણી નો વેડફી રહ્યા છે…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!