Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ખોડલધામ અંગારેશ્વર ખાતે નર્મદા જયંતિ તેમજ ખોડિયાર જયંતિ ની ધામધૂમ પૂર્વક ઉજવણી ની તૈયારી

Share

તીર્થ ધામ અંગારેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચાલતા અન્નશ્રેત્ર ખાતે માં નર્મદા નું મંદિર આવેલ છે તેમજ ઐતિહાસિક હજારો વર્ષ જૂનું માં ખોડિયારનુ ધામ આવેલું છે ખોડિયાર મંદિર ની બાજુમાં અંગનાત વાસ દરમ્યાન પાંડવોએ રાત્રિ રોકાણ કરેલ જે જગ્યા ઉપર આજે પણ સમડી ના પાંચ વૃક્ષો મોજુદ છે અને આસપાસના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર ગણાય છે જીલ્લા ભર માંથી લોકો માં ખોડિયારના દર્શન કરવા ખુબ મોટી સંખ્યામાં પધારે છે અને ખોડલધામ ખાતે માં નર્મદા ની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને બારેમાસ 24કલાક જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે

આ વર્ષે નર્મદા જયંતિ તા.24/1/2018 અને ખોડિયાર જયંતિ તા.25/1/2018ના હોય બંને દિવસે માતાજીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થનાર છે. નર્મદા જયંતિ નિમિત્તે હવન, શવા મન ગાયના દૂધનો અભિષેક અને 300 મીટર ની સાડી ખોડલધામ ખાતે થી શોભાયાત્રા કાઢી માં નર્મદા ને અર્પણ કરવામાં આવશે તેમજ કુંવારીકા ઓને ભોજન કરાવામાં આવશે તેમજ ખોડિયાર જયંતિ 25/1/2018 ના રોજ યજ્ઞ તેમજ ભંડાળાનુ આયોજન કરવામાં આવ્યું છે ભંડાળો બપોરે 12 વાગે થી 2 વાગ્યા સુધી ચાલનાર છે.

Advertisement

Share

Related posts

અભિનેત્રી રસિકા દુગ્ગલ સ્ટારર વેબ સિરીઝ ‘અધૂરા’ નું હોરર ટીઝર રિલીઝ

ProudOfGujarat

નેત્રંગનાં ભોટ નગર ઊડી ગામે ગરીબો માટે અનાજની કિટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં હલદરવા ગામની સીમમાં ઝનોર ગામની પરણીતા અને તેના બાળકની લાશ મળી આવતા પરિવારજનોએ તેણે આપઘાત કર્યો હોવાનું કહેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat
error: Content is protected !!