Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નવાદેરા રાધા વલ્લભ મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય શણગાર

Share

 

ભરૂચ: ભરૂચ તાલુકાના નવાદેરા ગામ સ્થિત રાધા વલ્લભ મંદિરે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઠાકોરજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરે પહોંચી દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો.

Advertisement

ગુરુપૂર્ણિમા નિમિત્તે મંદિરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું. ઠાકોરજીના વિશેષ શણગારના દર્શન માટે દિવસભર ભાવિકોની અવરજવર જોવા મળી હતી. ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તોએ પ્રાર્થના કરી ગુરુ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આગામી તહેવારોને અનુલક્ષીને મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તમામ ભાવિકોને આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી દર્શન તથા ધર્મલાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ : જંબુસરમાં તૂટેલી કેનાલોથી ખેડુતો મુશ્કેલીમાં, નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી…

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાઈરસ પછી નવો રોગ મ્યુકર માઈકોસિસનો પગ પેસારો થયો.

ProudOfGujarat

નડિયાદ : આખડોલ પાસે કેનાલમાંથી બાળકી મળી આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!