Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે નેશનલ લોક અદાલત.

Share

જામનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટમાં આગામી સમયમાં ફોજદારી સમાધાન પાત્ર કેસો માટે લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાની તમામ કોર્ટમાં તારીખ 12 માર્ચ 2020 ના રોજ સમાધાન પાત્ર ફોજદારી કેસો જેમ કે વિડિયો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ચેક રિટર્નના કેસ બેંક રિકવરીના દાવા એમ એસ સી પી ના કેસ લેબર તકરાર વીજળી અને પાણીના બિલ તેમજ લગ્ન વિષયક તકરારના કેસો કે કૌટુંબિક તકરારના કેસો જમીન સંપાદનના કહેશો સહિતના કેસો નાલસાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં મેગા લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ લોક અદાલતનો લાભ લેવા માટે તમામ પક્ષકારોને આ તકે જો તેઓના પેન્ડિંગ કેસોમાંમાંથી નિરાકરણ શક્ય હોય તો તેમનો કેસ લોક અદાલત મારફત મુકવા માટે અને સુખદ સમાધાન મેળવવા માટે પક્ષકારોને લોક અદાલતના માધ્યમથી ઝડપી ન્યાય મળી શકે તેવા હેતુથી જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ લોક અદાલતનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કોઈને લોક અદાલત દ્વારા કેસમાં સુખદ સમાધાન મેળવવું હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો એવું એક યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પબ્લીક સ્કુલમાં ધોરણ ૧૦ ના વિધ્યાથીઁઓનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

ભરૂચનાં મકતમપુર રોડ પર સી. ડીવીઝન પોલિસ મથકની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા ત્રણ વીજ સબસ્ટેશનોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!