Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના પાસોદરામાં પરિણીતાએ માનસિક ત્રાસથી કંટાળીને અગન પછેડી ઓઢી.

Share

સુરતના પાસોદરામાં પરિણીતાએ આગ ચાપી આપઘાત કર્યો છે. સુરતના પાસોદરા વિસ્તારમાં આ બનાવ આઠેક દિવસ પહેલા બન્યો હતો જેમાં પાસોદરાની પરિણીતાએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આપઘાત કર્યો હોય આ કેસમાં પોલીસની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે.

અઠવાડિયા અગાઉ બનેલી ઘટનામાં પોલીસે આજે પરિણીતાના પિયર પક્ષના લોકોના નિવેદનો નોંધ્યા હતા, જેમાં આ પરિણીતાના ભાઈએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું છે કે અવારનવાર મારી બહેનને શંકાની નજરથી જોવામાં આવતી હોય તેમના પતિ દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારજનોની હેરાનગતિને લઇને કંટાળી જઇને આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. વારંવાર ટેલિફોનિક વાતચીતમાં પણ સતત ભયના ઓથાર હેઠળ આ પરિણીતાને જીવતી હતી. મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના સારસા ગામે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મેગા જોબ ફેરનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!