Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદમાં અખંડ નિતનેમ પાઠ સાહેબની પૂર્ણાહૂતિ કરાતા વિવિધ કાર્યક્રમો યોજાયા.

Share

નડિયાદમાં સિંધી સમાજ દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અખંડ નિતનેમ પાઠ સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતી કરવામાં આવી હતી જેમાં બહોળા પ્રમાણમાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

નડિયાદમાં સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છેલ્લા 40 દિવસથી 24 કલાક શીશમહલ અમરધામ જવાહરનગર નડિયાદ ખાતે નિરંતર ચાલી રહેલ અખંડ નિતનેમ પાઠ સાહેબ ( શ્રી સુખમની સાહેબ, શ્રી જપજી સાહેબ, શ્રી દુ:ખ ભંજની સાહેબ તેમજ શ્રી ચૌપાઈ સાહેબ) ની પુર્ણાહુતી કરવામાં આવેલ હતી જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબ મહારાજની આરતી, અરદાસ, ભોગ, શબ્દ કીર્તન તેમજ અનેક આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા. આયોજનમાં લંગર પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે નડિયાદના સિંધી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં નર્મદા જ્યંતી નિમિતે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

આદિવાસી મસીહા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની અપીલના પગલે વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તેનો મેસેજ ટવીટર ની દુનિયામાં ઇન્ડિયા ટોપ ફાઈવ મા સામેલ

ProudOfGujarat

રાજકોટમાં લેન્ડ ગ્રેબીન્ગનાં ૪૧ કેસ : ૮ કેસોમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો લીધો નિર્ણય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!