Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જેસીઆઇ દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી.

Share

ભરૂચ જેસીઆઇ દ્વારા જિલ્લાના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ માત્ર ભરૂચ જિલ્લામાંં વસતા લોકો જ આ સેવાનો લાભ લઇ શકશે. વધુમાં જણાવાયા મુજબ જે કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ નીચુ હોય અને હોસ્પિટલમાં જગ્યા મળતી ન હોય, જેને ડોકટરે ઘરે રહીને ઓક્સિજનની સારવાર લેવાની સલાહ આપી હોય અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોય પણ ઘેર હજુ ઓક્સિજનની સારવારની જરૂર હોય તેવા દર્દીઓ આ સેવાનો લાભ લઇ શકશે.આ સેવા માટે રોજનો ફક્ત રુ.બસો નિભાવ ખર્ચ લેવ‍ામાં આવશે. ઉપરાંત રિફંડેબલ ડિપોઝીટ પેટે રુ.પાંચ હજાર આપવાના રહેશે. લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ડોક્ટરનું પ્રિસક્રિપ્સન, રિકમનડેશન લેટર, આધારકાર્ડ તેમજ આર.ટી.પી.સી.આર રિપોર્ટ લાવવાના રહેશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નહેરુ યુવા કેન્દ્ર ગોધરા અંતર્ગત દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ વર્ક બેઢિયા ખાતે સેમિનાર યોજાયો

ProudOfGujarat

સિદ્ધિકા શર્મા રોમાંચક રોમ-કોમ, ‘ઓયે મખ્ના’માં એમી વિર્ક સાથે રોમાંસ કરતી જોવા મળશે.

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુનો વકરતો વાવર શહેરમાં ડેન્ગ્યુના 25 પોઝિટીવ કેસ : પાલિકાના ફોગીંગ માટે ફક્ત એકજ મશીન કાર્યરત અન્ય બંધ હાલતમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!