Proud of Gujarat
INDIAFeaturedGujarat

કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે ગુરુપૂર્ણિમાની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના યાત્રાધામ નારેશ્વર ખાતે શ્રી રંગઅવધૂત મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં દુર દૂરથી હજારો ભાવિક ભક્તો દર્શન માટે આવે છે.

આજરોજ ગુરુપૂર્ણિમા હોય અને સાથે કુંવારીકાઓનું ગૌરીવ્રત ચાલુ છે. ત્યારે નારેશ્વર ખાતે મોટી સંખ્યામા ભાવિક ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરીને શ્રી રંગઅવધૂત મહારાજના દર્શનનો લાભ લીધો હતો. ત્યારે યાત્રાધામ ખાતે કોઈ અઈચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. સાથે કોઈ ટ્રાફીક સમસ્યા ના થાય એ માટે વ્યવસ્થિત પાર્કિંગ થાય એ માટે પોલીસના જવનો ખડેપગે હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

બ્રહ્માકુમારીઝ દ્વારા નડીઆદની સમાજસેવા અગ્રણીઓનો સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના હીરો યશપાલ શર્માનું થયું નિધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!