Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે આડા સંબંધના વહેમમાં બે પરિવારો બાખડયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના દુ.માલપોર ગામે આડા સંબંધના વહેમમાં બે પરિવારો વચ્ચેના ઝઘડામાં એક મહિલા સહિત કુલ ચાર ઇસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ દુ.માલપોર ગામે રહેતા દિનેશભાઇ શાંતિલાલ વસાવાની ભાણી તેમની સાથે રહે છે. તેમની ભાણી સાથે ફળિયામાં રહેતા મિતેશ વસાવાને આડો સંબંધ હોવાનો શક હોવાથી દિનેશભાઇના માતા આજુબેન ગત તા. ૯ મીના રોજ મિતેશના ઘરે આ બાબતે કહેવા ગયા હતા. તુ અમારી ભાણીને કેમ હેરાન કરે છે, તેમ કહેતા મિતેશ અને તેની માતા શારદાબેન એકદમ ઉશ્કેરાઇ ગયા હતા, અને ગાળો બોલવા લાગ્યા હતા. ગાળો બોલવાની ના પાડતા મિતેશ અને તેની માતાએ દિનેશભાઇ અને તેમના માતા આજુબેનને ઢિકાપાટુનો માર માર્યો હતો. તેમનું ઉપરાણું લઇને શારદાબેનના બીજા બે છોકરા નિલેશ અને અજય પણ ત્યાં દોડી આવ્યા હતા. અને તે લોકોએ પણ આ બન્નેને ઢિકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત મિતેશે આ બન્ને મા દિકરાને માથાના ભાગે લાકડીના સપાટા માર્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ દિનેશ અને તેની માતાને અવિધા ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. મારામારીના આ બનાવ સંદર્ભે દિનેશભાઇ શાંતિલાલ વસાવા રહે.દુ.માલપોરનાએ શારદાબેન રતિલાલ વસાવા, મિતેશ રતિલાલ વસાવા, નિલેશ રતિલાલ વસાવા અને અજય રતિલાલ વસાવા તમામ રહે.ગામ દુ.માલપોર તા.ઝઘડીયા જિ.ભરૂચના વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ગોધરામાં મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાતા નવરાત્રીના દાંડીયાની દેશ-વિદેશમાં માંગ…

ProudOfGujarat

અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે 27 જેટલા કૌશલ્ય લક્ષી કોર્ષ માટે ઓનલાઇન એડમિશન પ્રક્રીયા શરૂ થતા વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરની BEIL કંપનીમાં ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પકડાયેલા 4,277 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!