Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સરકારી સ્કીમનો લાભ લ્યો, નહી તો વાગી જશે સિલ, બાકી પડતા વેરા વસુલાત મામલે નગરપાલિકાની લાલ આંખ, સીલ મારવાની કામગીરી પુરજોશમાં..!!

Share

ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી પડતા વેરા વસુલાતની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે, ખાસ કરી શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત માટે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે, અને વેરા વસુલાતમાં બાકી પડતા લોકોને સરકારની અમૃત મહોત્સવ ઇસ્કીમનો લાભ લેવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાય લોકો વેરો ભરવામાં હજુ પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે.

ભરૂચ નગરપાલિકાના વેરા વસુલાત વિભાગની ટીમે આખરે વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા લોકો સામે લાલઆંખ કરી છે, તેમજ શહેરમાં બાકી પડતા વેરા વસુલાત માટે કામગીરી હાથધરી છે, જેમાં મકાનો તેમજ દુકાનો ઉપર પહોંચી હવે વેરાની માતબર રકમ જે લોકોની બાકી છે તેઓ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

ભરૂચના ડ્રિમલેન્ડ પ્લાઝા અને કસક વિસ્તારમાં દુકાનો અને મકાનોના બાકી પડતા વેરાની ભરપાઇ ન કરનાર મકાન માલિકો અને દુકાન સંચાલકો સામે પાલિકાએ લાલ આંખ કરી આજ સવારથી સિલ મારવાની પક્રિયા હાથ ધરવામાં આવતા કરવેરા બાકી રાખતા લોકોમાં ફફડાટ છવાયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

ભરૂચ : વિડીયોકોન કંપનીમાંથી ચોરાયેલ કોપર વાયરનો જથ્થો ઝડપી 5 આરોપીની અટક કરતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ, વિઝિબ્લિટીમાં ઘટાડો થતા વાહન વ્યવહારને થઈ અસર

ProudOfGujarat

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામની કરકથલ પ્રાથમિક શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!