Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : હથીપુરા ગામનાં ખેતરમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

Share

નડિયાદ તાલુકાના સલુણવાટા તાબેના હથીપુરા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોને વહેલી સવારે જાણ થતાં અહીંયા ટોળેટોળા વળી ગયા હતા. જોકે, મરણજનાર યુવાન ગામનો જ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ નડિયાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મરનારની ઓળખ છતી કરી હતી. જેમાં આ મરણ જનાર યુવાન રાજુભાઈ રઇજીભાઈ ગોહિલ રહે. હથીપુરા, નડિયાદ હોવાનું જાણવા મળ્યું છે

મરણ જનાર યુવાનને શરીરે મુઢ મારમારી હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે પંચકેસ કરી મૃતદેહને કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે જેમાં પોલીસે કેટલાક શકમંદોને રાઉન્ડઅપ કરી હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ મરણ જનાર યુવાન પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો. આ બનાવમાં પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા ડોગ સ્કોડ અને એફ એસ એલની મદદ લીધી છે. આ મરણજનાર યુવાન રાત્રે કઈ રીતે અહીયા આવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ તથા સુરત શહેરમાંથી ચોરી થયેલ સાત મોટરસાયકલો સાથે ચોરી કરતા એક ઇસમને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

ProudOfGujarat

લીંબડી ખાતે મધ્યપ્રદેશના ગ્વાલિયરના દ્વારકાધીશની અનોખી આરાધના કરતા સાધુ આવી પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!