Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રઝલવાડા ગામે વીજળી પડતા ૩૧ વર્ષીય યુવકનું ગંભીર રીતે દાઝી જતા મોત.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા ગામે વીજળી પડતા એક ૩૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ચોમાસા દરમિયાન આકાશમાં ગાજવીજ થતાં ઘણીવાર વીજળી પડવાના બનાવ બનતા હોય છે. આકાશી વીજળી પડતા તેની લપેટમાં આવી ગયેલ પશુઓ તેમજ માણસોના સળગી જઇને કરુણ મોત થતાં હોય છે. આવી જ એક આકાશી વીજળી પડવાની ઘટનામાં ઝઘડિયાના રઝલવાડા ગામના આ ૩૧ વર્ષીય યુવકનું મોત થયું હતુ.

મળતી વિગતો મુજબ રઝલવાડા ગામનો બળવંતસિંહ સુજનભાઇ વસાવા નામનો યુવક આજરોજ એક ખેતર નજીકથી કોઇ કામસર જઇ રહ્યો હતો, ત્યારે આકાશમાં વીજળીના ચમકારા થઇ રહ્યા હતા. આ આશાસ્પદ યુવકના મોતનું કારણ આકાશી વીજળી પડવાના કારણે લખાયું હશે, તેમ આકાશમાંથી જમીન પર ધસી આવેલ એક આકાશી વીજ લીસોટો આ યુવક પર પડતા યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આ યુવકનું ત્યારબાદ મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ આ યુવક પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરતો હતો. આ ઘટના બાબતે રાજપારડી પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

મૌની રોય મિલાનમાં ધૂમ મચાવી રહી છે; મિલાન ફેશન વીકમાં ભારતની પ્રિય દિવા ચમકી રહી છે!

ProudOfGujarat

ભરૂચમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ૬૪૫.૯૫ લાખની રકમના ૮૦ કામોનું ખાતમૂર્હત અને ૧૩૭.૦૦ લાખની રકમના ૭૧ કામોનું લોકાપર્ણ કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચનાં નવચોકી વિસ્તારમાં ઉભરાતી ગટરની કામગીરી કરવા રહીશોની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!