Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી હાથ ધરાઈ.

Share

વલસાડ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પૂરથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં છીપવાડ અને દાણાબજારમાં અનાજનો જથ્થો પલળી જતા ઘણું નુકશાન થયું હતું તેમજ સડેલા અનાજથી ચારેબાજુ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

આજરોજ પૂરના પાણી ઓસરતા જ જિલ્લાના પાંચ તાલુકાની પાલિકાઓના અને સુરત મહાનગર પાલિકાના ૨૦૦ જેટલા કર્મચારીઓએ ૨૩ ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી આરંભી દીધી છે. વિસ્તારોમાં કુલ ૬ ડિ-વોટરિંગ પંપો દ્વારા ભરાયેલા પાણી કાઢવા માટે કાર્યરત કરાયા છે. આ વિસ્તારોમાં સસમયસર સફાઈ કામગીરી થતાં રોગચાળો ફેલાવાની શક્યતા નહીંવત બની છે.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

બર્થડે સ્પેશિયલ: કેટરિના કૈફ એક એવી મહિલા છે જે શાંત શક્તિ અને શાશ્વત સુસંગતતા સાથે ઉદ્યોગ પર રાજ કરી રહી છે!

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

ProudOfGujarat

ભરૂચ : પોલીસની ઓળખાણ આપી ઈજનેરને લૂંટી લેનાર બે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!