Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી હાથ ધરાઈ.

Share

વલસાડ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પૂરથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં છીપવાડ અને દાણાબજારમાં અનાજનો જથ્થો પલળી જતા ઘણું નુકશાન થયું હતું તેમજ સડેલા અનાજથી ચારેબાજુ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

આજરોજ પૂરના પાણી ઓસરતા જ જિલ્લાના પાંચ તાલુકાની પાલિકાઓના અને સુરત મહાનગર પાલિકાના ૨૦૦ જેટલા કર્મચારીઓએ ૨૩ ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી આરંભી દીધી છે. વિસ્તારોમાં કુલ ૬ ડિ-વોટરિંગ પંપો દ્વારા ભરાયેલા પાણી કાઢવા માટે કાર્યરત કરાયા છે. આ વિસ્તારોમાં સસમયસર સફાઈ કામગીરી થતાં રોગચાળો ફેલાવાની શક્યતા નહીંવત બની છે.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

શું તમે જાણો છો: અલ્લુ અર્જુનની ‘પીલિંગ્સ’ અને તમન્ના ભાટિયાની ‘આજ કી રાત’ પાછળનો અવાજ – મધુબંતી બાગચી

ProudOfGujarat

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

ProudOfGujarat

તારા પુત્રને કહેજે અમારી પુત્રી સાથે સંબંધ ન રાખે કહીં ચાર જણાએ મહિલાને ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!