Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડમાં પૂરના પાણી ઓસરતા સફાઈ કામગીરી હાથ ધરાઈ.

Share

વલસાડ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીના પૂરથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં છીપવાડ અને દાણાબજારમાં અનાજનો જથ્થો પલળી જતા ઘણું નુકશાન થયું હતું તેમજ સડેલા અનાજથી ચારેબાજુ ગંદકી અને દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

આજરોજ પૂરના પાણી ઓસરતા જ જિલ્લાના પાંચ તાલુકાની પાલિકાઓના અને સુરત મહાનગર પાલિકાના ૨૦૦ જેટલા કર્મચારીઓએ ૨૩ ટ્રેક્ટર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી આરંભી દીધી છે. વિસ્તારોમાં કુલ ૬ ડિ-વોટરિંગ પંપો દ્વારા ભરાયેલા પાણી કાઢવા માટે કાર્યરત કરાયા છે. આ વિસ્તારોમાં સસમયસર સફાઈ કામગીરી થતાં રોગચાળો ફેલાવાની શક્યતા નહીંવત બની છે.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આચારસંહિતા અમલમાં : મદદનીશ નોડલ અધિકારીઓની નિમણૂક, ફરિયાદો માટે સીધી વ્યવસ્થા

ProudOfGujarat

અંકલેશ્વર ના ભાદી ગામે કાપડિયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ,૩ ટીમોએ લીધો ભાગ

ProudOfGujarat

ગોધરા : નગરપાલિકા હસ્તકનાં પ્રજાલક્ષી પ્રશ્નોનાં નિકાલ માટે પાલિકા પ્રમુખને લેખિત રજુઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!