Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીએનએફસીના CSR વિભાગ-નારદેસ દ્વારા હલદરવા અને રહાડપોર ગામની શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરાયું.

Share

જીએનએફસી સમાજ ઉપર હકારાત્મક અસરો પાડવામાં માને છે અને સમાજના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. જીએનએફસી તેના CSR વિભાગ-નર્મદાનગર રૂરલ ડેવલપમેન્ટ સોસાયટી (નારદેસ) મારફતે સામાજીક વિકાસની અનેક કામગીરીઓ કરી રહી છે. વૃદ્ધિ અને વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત હોવાનું સર્વમાન્ય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓની અપૂરતી સંખ્યા તથા તેમાંની માળખાકીય સુવિધાઓ અને સંશાધનોની અછતને કારણે આવી શાળાઓમાં પ્રવેશ માટે ઓછો ઉત્સાહ (નિરસતા) જોવા મળે છે તેમજ આવી શાળાઓના બાળકોમાં ડ્રોપ આઉટનું વધારે પ્રમાણ જોવા મળે છે. જીએનએફસીએ હલદરવા અને રહાડપોર ગામની સરકારી શાળાઓમાં વધારાના ક્લાસરૂમોનું બાંધકામ કરી આપીને, આ શાળાઓની માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે.

Advertisement

આવી શાળાઓમાં બાંધવામાં આવેલ ક્લાસરૂમનું ઉદ્ઘાટન ભરૂચ જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, IAS દ્વારા તા.12મી સપ્ટેમ્બર, 2022ના રોજ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ સરકારી પદાધિકારીઓ અને જીએનએફસીના જનરલ મેનેજર (HR) પંકજ સનાધ્યા અને નિતેશ નાયક (મેનેજર-CSR) સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર તાલુકાનું પંચાયત ભવન કરોડોના ખર્ચે નવું બન્યું પરંતુ પ્રજા સેવાકીય અને સરકારી લાભ થી વંચિત…

ProudOfGujarat

વડોદરામાં તસ્કરોએ બિલ્ડરના ઘરને નિશાન બનાવી ૧૬ લાખની ચોરીને આપ્યો અંજામ.

ProudOfGujarat

શિક્ષણનો વેપાર કરતા લોકોની છટકબારી માટે સરકારે FRC કમિટી બનાવી:હરેશ વસાવા,મંત્રી પ્રદેશ કોંગ્રેસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!