Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

Share

ભારત વર્ષના યુગપુરુષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 72 માં જન્મદિવસ નિમિત્તે ભરૂચ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરી સાગર સ્વરછતા અભિયાન અંતર્ગત સાગર ભારતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં માં નર્મદાના કિનારે સ્વરછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, સાથે સાથે શ્રી નર્મદા સંસ્કૃત પાઠશાળા ખાતે ૭૨ કુંડી મહામૃત્યુંજય હવનમાં આહુતિ પણ આપવામાં આવી હતી.

તો બીજી તરફ સોમનાથ મહાદેવ ખાતે વૈદિક હવનમાં આહુતિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની શ્રવણ વિધાલય ખાતે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો 7272 નો લક્ષ્યાંક પૂરો થયેલ હોઈ તેમજ પાસબુક વિતરણ અને કેક કાપીને પ્રધાનમંત્રીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આમ ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની જિલ્લા ભાજપના હોદ્દેદારો, ધારાસભ્ય સહિતના શહેરી જનોની ઉપસ્થિતિમા દિવસ દરમિયાન કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે જુગાર રમતા ત્રણ ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પાનોલી પોલીસ

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં NPCDCS આયુષ દ્વારા આજે જન આંદોલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા લીંબડી અખંડ ભારત સ્મૃતિ દિન નિમીતે ભવ્ય મસાલા રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!