Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોમનાથ : ભાલકાતીર્થમાં પરંપરાગત માટીના ગરબાઓને કલાકાર દ્વારા આખરી ઓપ.

Share

રૂમઝુમ કરતા નવલા નવરાત્રી પ્રારંભ હવે બારણે ટકોર દઈ રહ્યો છે ત્યારે સોમનાથના ભાલકાતીર્થમાં માટીના ગરબા બનાવવાનુ કામ કરતા પ્રજાપતિ સમાજના પરિવારો ગરબાને આખરી ઓપ આપી રહ્યા છે. ભાલકાના બાઈ ગરબી ચોક, કૈલાસ સોસાયટી, હનુમાનજી મંદિર ૫ પાસે આ પરિવારો અખૂટ પરિશ્રમ કરી માટીના ગરબાઓ બનાવી રહ્યા.

રંગકામ સુશોભન અને ૧ આદ્યશકિતની ભકિત સાથે પોતાની વંશ પરંપરાગત કલા કેમ દિપી ઉઠે તેમા વ્યસ્ત છે. ૬૩ વર્ષીય કાનાભાઈ જેઠવા કહે છે નાનપણથી અમો આ ધંધો કરીએ છીએ આજે ધાતુના ગરબાઓ પ્રચલીત થયા છે પણ ભગવાનની દયાથી અમારું ગુજરાન ચાલે છે. માટી પણ હવે નજીકમાં મળતી નથી જેથી ટ્રેક્ટરના મોંઘા ભાડા અને માટીના પૈસા ખર્ચી મંગાવવી પડે છે. તેઓની પાસે ઈલેકટ્રીક ચાકડો અને ગાડાના પૈડા જેવો હાથ અને દંડીકાથી ચાલતો પ્રાચીન ચાકડો છે. જલ્પાબેન સુરેશ જેઠવાના જણાવ્યા પ્રમાણે માટીના બનેલા ગરબા હું અમારા પરીવારના શાંતાબેન ઘરના નાના-મોટા સૌની ભાડે પકાવાયેલ એ ગરબા ઉપર સફેદ પાકો કલર લગાવીએ અને પછી તેના ઉપર લાલ પાકો ક્લર લગાવી સોનેરી કલરથી ડીઝાઈન ચીતરીયે અને લેસ, આભલા, કોનથી અમારી કલાનુ સુશોભન કરીએ છીએ. ૬૧ વર્ષના દામજીબાપાએ બનાવેલા ગરબા હવે ઘરેથી વિદાય થઈ ચોક, શેરીઓ, માતાજી મંદિરો, ઘરોમાં જવા થનગની રહ્યા છે.

Advertisement

Share

Related posts

શેખ હસીના આજથી ભારતની મુલાકાતે, PM મોદી સાથે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા.

ProudOfGujarat

નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પ્રધાન આચાર્ય તરીકે કાર્યરત ડો. અમૃતલાલ ગૌરીશંકર ભોગાયતાને પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકામાં ૧૨૧ સેન્ટરો પર મેગા કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!