Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટનામાં 40 થી વધુ લોકોને અસર

Share

નવસારીના બીલીમોરામાં એક આઈસ ફેકટરીમાં ગેસ લીકેજ થવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બીલીમોરાના સરદાર માર્કેટ નજીક આવેલી હરિસિદ્ધિ આઈસ ફેકટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે.

નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના બીલીમોરામાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર થઈ છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનામાં એક વ્યક્તિને ગેસ લીકેજ બાદ શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગેસ લીકેજની ઘટના કેવી રીતે બની છે તેની પ્રાથમિક માહિતી હાલ જાણી શકાઈ નથી પણ આ મામલે વહીવટી તંત્રની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ધટના સ્થળે પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામના ખેડૂતોએ પગદંડી રસ્તો, રેતી ખનન બંધ કરાવવાનો મુદ્દો મુખ્યમંત્રીના દરબાર સુધી પહોંચાડયો…

ProudOfGujarat

26 ફેબ્રુઆરીથી SSC-HSC બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ : ભરૂચમાં 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સુરક્ષા માટે કડક આયોજન

ProudOfGujarat

ભરૂચ : એમ.જી રોડ પર આવેલ મોબાઈલની દુકાનોમાં પોલીસનાં દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો શું છે કારણ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!