Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલનાં કુટુંબીજનોને સાંત્વના અર્પવા કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પિરામણ આવ્યા.

Share

ભરૂચ જિલ્લાનાં પનોતા પુત્ર અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા સ્વ. અહેમદ પટેલનાં નિધનનાં પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે. આજે દેશનાં રાષ્ટ્રીય નેતાઓ સ્વ. એહમદ પટેલનાં પરિવારજનોને સાંત્વના અર્પવા પિરામણ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.

ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં પિરામણ સ્થિત નિવાસસ્થાને કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ જેમાં રાજ્યસભા વિપક્ષનાં નેતા ગુલામ નબી આઝાદ, માજી કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, હરિયાણાનાં માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા સહિતનાં દિગ્ગજ નેતા પીરામણ પહોંચ્યાં હતા અને સ્વ.અહેમદ પટેલના પરિવાજનોને મળી સાંત્વના પાઠવી હતી.

સ્વ. અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ અને પુત્રી મુમતાઝને સાંત્વના આપી હતી. આવનારા દિવસોમાં અન્ય નેતાઓ પણ પિરામણ ખાતે આવી પહોંચે તેવી સંભાવના જણાઈ રહી છે.

Advertisement

Share

Related posts

પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ઓરીના શંકાસ્પદ કેસો નોંધાયા : મુંબઇમાં ઓરીના ભરડામાં ૧ર ના મોત.

ProudOfGujarat

ગુજરાત સાયન્સ સિટી ખાતે એક દિવસીય ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

ProudOfGujarat

ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ ખાતે સ્વતંત્ર પર્વ ની ઉલ્લશભેર વાતાવરણમાં ઊજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!