Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર.

Share

સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડીયા પેઢીનો કર્મચારી પેઢીના ૧૭ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી બાબુ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી અર્જુન ઠાકોર એક પેઢીમાંથી ૧૭ લાખ રૂપિયા લઈને બીજી પેઢીમાં આપવા નીકળ્યો હતો પરંતુ રોકડા ૧૭ લાખ રૂપિયા લઈને તે ફરાર થઈ ગયો હતો. કર્મચારી અર્જુન ઠાકોર પેઢીની બીજી ઓફિસે ન પહોંચતા આંગડિયા પેઢીના સંચાલકોએ તેની શોધખોળ કરી હતી આમ છતાં તેનો કોઇ અતોપતો ન જડતાં આંગડિયા પેઢીના સંચાલકે મહિધરપુરા પોલીસ મથકે કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. મહિધરપુરા પોલીસે ફરાર અર્જુન ઠાકોરની સધન શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડા મથકે આવેલું SBI બેંકનું ATM મશીન ઘણા દિવસોથી બંધ.

ProudOfGujarat

કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે નીતિન પટેલની બાધા..!

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે આંબેડકર જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!