Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

Share

સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઇ તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું છે. જે આગળ વધતું હોવાને કારણે સૌરાષ્ટ્રના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર ગઈકાલે એક નંબરનું સિંગ્નલ લગાવ્યું હતું, તે હટાવી મોડી રાતે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. જિલ્લા કલેકટરની સૂચનાથી જાફરાબાદ તંત્ર એલર્ટ થયું છે.

દરિયા કિનારાના ગામડા શિયાળ બેટ, ધારબંદર જાફરાબાદ સહિત ગામડાને એલર્ટ આપવામાં આવ્યું છે અને કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. જોકે, અહીં માછીમારો અગાવથી જ આવી ચુક્યા છે જેના કારણે માછીમારો અને તંત્રએ પણ રાહત અનુભવી છે, જે રીતે આગાહી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સાંજના 6 વાગ્યા બાદ અસર વધુ જોવા મળી શકે છે.

Advertisement

અમરેલી સહિત દરિયા કિનારે એકથી બે નંબર સિગ્નલ લગાવી દેવાયા છે અને દરિયા કાંઠે એલર્ટ કરી દેવામાં આવ્યું છે. માછીમારો દરિયો ન ખેડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. જાફરાબાદ મામલતદાર કચેરીમાં વાવાજોડાને લઈ વિવિધ વિભાગ સાથે બેઠકો યોજી તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી રહી છે, તલાટી મંત્રીઓ સીધા સરપંચોના સંકલનમાં રહેશે અને બેઠકો યોજશે.

જાફરાબાદ મામલતદાર જે.એન મહેતાએ જણાવ્યું હતું કે, હાલ કોઈ વરસાદ નથી પરંતુ તંત્ર સાબદુ છે, દરિયા કાંઠાના તમામ ગામડાને એલર્ટ કર્યા છે 2 નંબર સિગ્નલ લગાવેલ છે તમામ પોલીસ સ્ટાફ સરપંચો સાથે બેઠકો યોજી રહ્યા છીએ.


Share

Related posts

ભરૂચ જિલ્લા ની વિવિધ સ્કૂલો માં 108 એમ્બ્યુલનસ. ટિમ દ્વારા સ્કૂલો સેફટી વિક અંતર્ગત વિધાર્થીઓને માર્ગ દર્શન અપાયું.

ProudOfGujarat

ભરૂચમાં તા.૧૮/૧૧/૨૦૨૧ એ મેગા વેક્સીનેશન પ્રોગ્રામ યોજાશે.

ProudOfGujarat

ગાંધીજી સતત પ્રવાસ કરતા અેટલે લોકો પત્ર પર સરનામાની જગ્યાએ લખતાં… ગાંધીજી, જ્યાં હોય ત્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!