Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

બાકરોલ ની સીમ આવેલી ખુલ્લી જગ્યમા આગ લગતા અફરતફરીનો માહોલ સર્જાયો….

Share

અંક્લેશ્વરના બાકરોલ ખાતે આવેલ એસીયન માર્કેટની બાજુ મા આવેલી ખુલ્લી જગ્યા મા આગ ભભુકી ઉથતા દોડ્ધામ મચી જવા પામી હતી. પાનોલી ફાયર બ્રીગેડના જવાનોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

બાકરોલના એશિયાને માર્કેટની બાજુમાં ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બેગ તેમજ લાકડાનો મોટો જથ્થો પડ્યો હતો. તેમાં અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા ગભરાહટ સાથે દોડધામ મચી જવા પામી હતી. આગની જાન થતા પાનોલી ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્કર સાથે દોડી આવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. જેના પગલે આસપાસના ગોડાઉન માલિકોના શ્વાસ હેઠા બેઠા હતા.

Advertisement

આગના પગલે જીપીસીબી ની ટીમ પણ દોડી આવી હતી અને સંતોષ ગુપ્તાની માલિકીની આ જગ્યામાં કચરો નાખવામાં આવ્યો હતો જ્યાં આગ લાગતા રહસ્ય સર્જાવા પામ્યું હતું.

અંકલેશ્વરના અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ તેમજ ભંગારના ગોડાઉન-માં અવાર નવાર લાગતા આગના બનાવો બનતા હોવા છતાં પણ આ રીતે ભંગાર ખડકવાની પ્રવૃતિમાં કોઈ રોક આવી હોય તેમ લાગતું નથી.


Share

Related posts

કાશિકા કપૂરે તેની ડેબ્યૂ ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ માટે તેનો લુક જાહેર કર્યો

ProudOfGujarat

ભરૂચ : આજે છડીનોમ હોવાથી કોરોના મહામારીને કારણે તેની ઉજવણી કરવામાં આવી ન હતી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે આવેલ સાંઈ મંદિરમાં ત્રણ દાતાઓ તરફથી સાંઈ બાબાનું સિંહાસન અર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat
error: Content is protected !!