Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરસાદના કારણે રાજ્યના 207 ડેમોમાં આવક વધી, સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમો છલકાયા

Share

વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક એક પછી એક થઈ રહી છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં 50 ટકા જેટલા પાણીની આવક થઈ ચૂકી છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક થઈ ચૂકી છે. ત્યારે હજુ વધુ વરસાદની આગાહી વચ્ચે નવા નીરની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ છે.

207 ડેમોમાં 45 ટકાથી વધુ પાણી, ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 49 ટકા કરતા વધુ પાણી, મધ્ય ગુજરાતમાં 17 ડેમમાં 29 ટકા કરતા વધુ પાણી, દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 35 ટકા કરતા વધુ પાણી, કચ્છના 20 ડેમમાં 50 ટકા કરતા વધુ પાણી, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 49 ટકા પાણી, સરદાર સરોવર ડેમમાં 56 ટકા કરતા વધુ પાણીની આવક

Advertisement

રાજ્યમાં જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છે જ્યાંથી ગુજરાતના વિવિધ ભાગોમાં ખેતી માટે પાણી છોડવામાં આવે છે. નર્મદા કેનાલની ખેતી પર ખેડૂતો નિર્ભર રહે છે અને આવક રળે છે ત્યારે જીવાદોરી સરદાર સરોવર ડેમ પણ 56 ટકા ભરાયો છે. ત્યારે વધુ આ ડેમમાં પાણીની આવક થઈ શકે છે. જોકે બીજી તરફ ચોમાસાની આ શરુઆત છે અને નવા નીરની આવક અત્યારથી જ થઈ રહી છે. ડેમો એક પછી એક છલકાતા ઉનાળામાં પાણીના પ્રશ્નો પણ નહીં રહે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાની ધ સેન્ટ ગોબિનનાં ચેરમેન તથા સીઈઓ એ ગુજરાતમાં થયેલા અનુભવ વિષે જણાવ્યું.

ProudOfGujarat

મોતિલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની અને ધ રેડ બ્રિક સમિટ, આઇઆઇએમ, અમદાવાદ રજૂ કરે છે, ‘મોતિલાલ ઓસવાલ થિંક ઇક્વિટી થિંક ક્યુજીએલપી કોન્ટેસ્ટ’ની ત્રીજી આવૃતિ

ProudOfGujarat

ભરૂચ : કોરોનામાં સરાહનીય કામગીરી બદલ રોટરી ક્લબ ફેમિના ગ્રુપ દ્વારા કર્મચારીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!