Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે સ્મૃતિસ્થળનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

Share

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય કવિતા ‘મન મોર બની થનગાટ કરે..’માં દર્શાવેલા છે, તેવા વર્ષાઋતુના મનોરમ્ય વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રાથમિક શિક્ષણની ભૂમિ એવા રાજકોટના આંગણે ઝવેરચંદ મેઘાણીના યોગદાનને બહુમાન આપવાનો અવસર આવ્યો છે. એટલે કે ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં આવેલા સ્મૃતિસ્થળનું તા. ૨૨ જુલાઈના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવભર્યાં બિરૂદથી નવાજેલાં તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્યસેનાની ઝવેરચંદ મેઘાણીના ૧૨૫ મી જન્મજયંતી વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તેમના જીવનકવન સાથે સંકળાયેલા સ્થળોને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ’ હેઠળ સ્મૃતિસ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ ઈ.સ. ૧૯૦૧ માં રાજકોટ શહેરના સદર વિસ્તાર સ્થિત રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત પ્રાથમિક શાળા નંબર ૮માં શાળાશિક્ષણનો આરંભ કર્યો હતો. આ ૧૫૫ વર્ષ જૂની ઐતિહાસિક ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮’નો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક શાળાની મુલાકાત લઈને વિશ્વભરમાં વસતા સાહિત્યપ્રેમીઓ અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવનાનું તેમનામાં સંસ્કાર-સિંચન થાય તે આશયથી અહીં મેઘાણીગાથા પ્રદર્શન, મેઘાણી-સાહિત્ય કોર્નર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયની સ્થાપના પણ કરવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લીમીટેડના સહયોગથી અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે શાળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેમજ રાજકોટ શહેર પોલીસના સહયોગથી અંદાજે રૂ. ૦૫ લાખના ખર્ચે મેઘાણીગાથા પ્રદર્શન અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સહયોગથી અંદાજે રૂ. ૦૨ લાખના ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા મેઘાણી સાહિત્ય કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે.

Advertisement

ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પૂર્વીબેન ગાંધીએ જણાવ્યું છે કે ઈ.સ. ૧૮૮૩ થી ઈ.સ. ૧૯૧૪ સુધીનું ઝવેરચંદ મેઘાણીના શાળા પ્રવેશની નોંધણી દર્શાવતું નોંધણીપત્રક આજપર્યંત શાળામાં જતનપૂર્વક જળવાયું છે. તા. ૨૨ જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ કરાયા બાદ શહેરીજનો શાળા સમય બપોરે ૧૨ કલાકથી સાંજે ૦૫ કલાક દરમિયાન સ્મૃતિસ્થળની મુલાકાત લઈ શકશે. ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’, ‘વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે’, ‘રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ’, ‘આભમાં ઊગેલ ચાંદલો ને જીજાબાઇને આવ્યા બાળ’, ‘છેલ્લો કટોરો ઝેરનો આ – પી જજો, બાપુ’ જેવા શૌર્યગીતોના રચયિતા તથા પોતાની કલમથી અમૂલ્ય પ્રદાન કરી ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રને સમૃદ્ધ બનાવનાર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.


Share

Related posts

સુરત : ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈ ચાઈનીઝ દોરી અને બલૂનનો ઉપયોગ નહીં કરવા વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા.

ProudOfGujarat

*ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા* ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાજેતરમાં બનેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલ કથિત મેડિકલ બેદરકારી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી જે દર્દીઓના મૃત્યુ થયા છે તે બાબતે ડોક્ટર તથા સંચાલકો વિરુદ્ધ સખત શબ્દોમાં આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી જરૂરિયાતમંદ ને યોગ્ય માનવસેવા પૂરી પાડવા સહિતના મુદ્દા પર યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીએમ જેવા યોજનાની આડઅસર અને ડોક્ટરની બેદરકારી ના કારણે દર્દીઓ પર જરૂરિયાત વિના એનજીઓગ્રાફી અને એનજીઓ પ્લાસ્ટિક જેવા પ્રોસીડયોર કરવામાં આવ્યા હતા. જેના કારણે બે દર્દીઓનું કરુણ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર મામલે સંદીપ માંગરોલા એ જણાવ્યું છે કે પીએમ જેવાય યોજના અંતર્ગત ડોક્ટર દ્વારા જે કાંઈ પણ નિર્ણય લે તાત્કાલિક અસરથી એનજીઓ પ્લાસ્ટિક કરવામાં આવેલ હોય તેનાથી સરકારના સ્વાસ્થ્ય વિભાગના યોજનાકીય ભંડોળનો પણ ખોટો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે, પીએમજેવાય યોજના અંતર્ગત સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી અને સરળતાથી મળી રહે તેવી તબીબી સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ડોક્ટરો દ્વારા આ યોજના ખોટી રીતે ફાયદો કરવામાં આવતો હોય તેવું લાગતા સમગ્ર રીતે આ ઘટનાને સંદીપ માંગરોલા એ વખોડી કાઢી અને વધુમાં જણાવ્યું છે કે માત્ર દર્દીઓનો વિશ્વાસ ને ડોક્ટરોએ ખંડિત કર્યો છે તેવું નથી આ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરો તેમજ સંચાલકો ની પણ સાથ ગાંઠ સરકારના વિભાગ સાથે હોય તેવું કથિત જાણવા મળ્યું હોય સમગ્ર આક્ષેપો ના પરિપ્રેક્ષ્યમાં સંદીપ માંગરોલા એ આરોગ્ય વિભાગમાં આરટીઆઇ અરજી ફાઈલ કરેલ છે. આરટીઆઈ માં સંદીપ માંગરોળ એ જણાવ્યું છે કે તપાસનો સંપૂર્ણ અહેવાલ જેમાં આયોજિત બિનજરૂરી પ્રોસેસ્યોર અંગેના તારણોનો સમાવેશ થાય તેમ જ તબીબી રેકોર્ડ્સ અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કરવામાં આવેલ પગલાંઓની વિગત જેમાં કાનૂની કાર્યવાહીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સરકારની પીએમજેવાય માર્ગદર્શિકા ના પાલન માટેની ચકાસણી સહિતના મુદ્દા ઉપર સંદીપભાઈ માંગરોલાએ આરટીઆઇ કરી છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે આપણા નાગરિકોના આરોગ્ય અને સલામતીની ઉપેક્ષા કરી શકાય તેમ નથી સરકારની પીએમજેવાય યોજના એવી અપેક્ષા સાથે બનાવવામાં આવી હતી કે જરૂરિયાતમંદ દર્દીઓ આ યોજના દ્વારા યોગ્ય સારવાર મેળવી શકે પરંતુ સમગ્ર મામલે ડોક્ટરો પોતાના અંગત લાભ માટે આ યોજનાનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળ્યું છે આથી આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિત સંકળાયેલા લોકોની તાત્કાલિક અસરથી તપાસ કરી તારણ જાહેર કરે અને જવાબદાર સરકારના અધિકારીઓ અને હોસ્પિટલના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.

ProudOfGujarat

નોટબંધી ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ની સહકારી બેંકો માં મોટું કૌભાંડ કરાયા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!