Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરના હુમલામાં આધેડનું મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જુનાપોરા ગામે નર્મદા નદીમાં મગરે હુમલો કરતા એક ૫૦ વર્ષીય આધેડ ઇસમનું મોત નીપજ્યું હતું. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ જુનાપોરા ગામે રહેતા વિનુભાઇ શનાભાઇ વસાવા નામના પશુપાલક ગતરોજ તા.૧૮ મીના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન પોતાના પશુઓને પાણી પીવડાવવા નર્મદા નદીએ લઇ ગયા હતા. પશુઓ નદીમાંથી પાણી પીને જલ્દીથી બહાર ન આવતા વિનુભાઇ પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. ત્યારે અચાનક નદીના પાણીમાંથી ત્યાં આવી ચઢેલ એક મગરે વિનુભાઇનો જમણો પગ પકડીને નદીમાં ખેંચ્યા હતા. વિનુભાઇ પર મગરે હુમલો કર્યાનું જણાતા કિનારે રહેલ જુનાપોરા ગામના નિલેશ ગુરૂદેવભાઇ વસાવા નામના યુવકે બુમાબુમ કરતા અન્ય ઇસમો ત્યાં દોડી આવ્યા હતા. મગરના હુમલામાં નદીમાં ખેંચાઇ રહેલ વિનુભાઇના ફક્ત હાથ જ બહાર દેખાતા હતા. આ લોકોએ વિનુભાઇને બહાર ખેંચતા મગરના પંજામાંથી તો છુટી ગયા હતા પરંતું ગંભીર રીતે જખ્મી થયેલ હતા. તેમને તાત્કાલિક અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે જુનાપોરાના નિલેશ વસાવાએ રાજપારડી પોલીસને જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની કન્યા શાળા શાખા-1 ખાતે નેત્ર ચિકિત્સા શિબિર યોજાઈ

ProudOfGujarat

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

ભરૂચ : ગણેશ આર્કેડ દ્વારા ગંદુ પાણી રસ્તા પર કાઢતા રહીશોમાં આક્રોશ : તત્કાલીક ધોરણે ઉભરાતી ગટરો બંધ કરવા આપી ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!