Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં આવેલ પૂરમાં ખેડૂતોને થયેલ નુકશાની બાબતે યોગ્ય વળતર આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનું જિલ્લા કલેકટરને આવેદન પત્ર

Share

નમૅદા નદીમાં તા.૧૭-૧૮ સપ્ટેમ્બરના દિવસે આવેલ ઐતિહાસિક અને વિનાશકારી પુરના કારણે ભરુચ,નમૅદા અને વડોદરા જીલ્લામાં વસવાટ કરી ખેતી કામ કરતા ખેડૂતોની ખેતી પાકમાં ભયંકર નુકશાનની પરિસ્થિતિ નિર્માણાધિન થયી હતી.

આ ઉપરાંત ખેડૂતોના પશુધન, યાંત્રિક સાધનો, ખાતરો, બિયારણો, ઇલેક્ટ્રિક પંપસેટો તથા ખેતી સંલગ્ન તમામ ઉપયોગી ઉપકરણોમાં તબાહીની પરિસ્થિતિ થવા પામી છે. કાંઠા વિસ્તારના ગામોમાં ઘણા ખેતરો રેલના પાણીમાં ઘોવાણ થઈ ગયેલા છે.

Advertisement

આમ આ પુરની પરિસ્થિતિથી આવી પડેલ વિપત્તિમાં ખેડૂતની પડખે ખેડૂત સમાજ ગુજરાત ઉભા રહી ગુજરાત સરકારને ખેડૂત, ખેતી અને ખેતરમાં થયેલ વાસ્તવિક નુકશાન બાબત ખેડૂત આગેવાનો દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી, જેમાં ખેતર અને પાકોની સ્થળ મુલાકાત લઈ નુકશાનનુ આંકલન કરી ખેડૂતોને તેમના હકનુ વળતર અપાવવા બાબતે રજુઆત કરાઈ હતી.


Share

Related posts

ભરૂચ શહેર-જિલ્લામાં આજે CAA અને NRC ના કાયદા સામે વિરોધ કરતા કાર્યક્રમને પગલે કતોપોર દરવાજા વિસ્તારના હિંદુ-મુસ્લિમ દુકાનદારોએ દુકાન સ્વયંભૂ બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગ ઉપર ખુલ્લી ગટરો હોવાથી સ્થાનિકોનો રોષ.

ProudOfGujarat

તિલકવાડા તાલુકાના માંગુ ગામમાં મનરેગા કામોના નાણાં ભળતાને ચૂકવી દેવાયાની ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!