Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા નદીમાં આવેલ પૂરમાં ખેડૂતોને થયેલ નુકશાની બાબતે યોગ્ય વળતર આપવાની માંગ સાથે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનું જિલ્લા કલેકટરને આવેદન પત્ર

Share

નમૅદા નદીમાં તા.૧૭-૧૮ સપ્ટેમ્બરના દિવસે આવેલ ઐતિહાસિક અને વિનાશકારી પુરના કારણે ભરુચ,નમૅદા અને વડોદરા જીલ્લામાં વસવાટ કરી ખેતી કામ કરતા ખેડૂતોની ખેતી પાકમાં ભયંકર નુકશાનની પરિસ્થિતિ નિર્માણાધિન થયી હતી.

આ ઉપરાંત ખેડૂતોના પશુધન, યાંત્રિક સાધનો, ખાતરો, બિયારણો, ઇલેક્ટ્રિક પંપસેટો તથા ખેતી સંલગ્ન તમામ ઉપયોગી ઉપકરણોમાં તબાહીની પરિસ્થિતિ થવા પામી છે. કાંઠા વિસ્તારના ગામોમાં ઘણા ખેતરો રેલના પાણીમાં ઘોવાણ થઈ ગયેલા છે.

Advertisement

આમ આ પુરની પરિસ્થિતિથી આવી પડેલ વિપત્તિમાં ખેડૂતની પડખે ખેડૂત સમાજ ગુજરાત ઉભા રહી ગુજરાત સરકારને ખેડૂત, ખેતી અને ખેતરમાં થયેલ વાસ્તવિક નુકશાન બાબત ખેડૂત આગેવાનો દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી, જેમાં ખેતર અને પાકોની સ્થળ મુલાકાત લઈ નુકશાનનુ આંકલન કરી ખેડૂતોને તેમના હકનુ વળતર અપાવવા બાબતે રજુઆત કરાઈ હતી.


Share

Related posts

ભરૂચના લિંક રોડ ઉપર સ્કુટર લઇને જતી માતા અને પુત્રી ને પતંગ નો દોરો આવી જતા બાળકી ના ગળા માં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat

સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ ઓપરેશન અભ્યાસ ( મોકડ્રીલ ) યોજાશે

ProudOfGujarat

ભરૂચ : મક્તમપુર નદી કિનારે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!