Proud of Gujarat
INDIAFeaturedGujarat

આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આઇટીઆઇ ફાર્મા એન્ડ હેલ્થકેર ફંડની રજૂઆત.

Share

• આઇટીઆઇ ફાર્મા એન્ડ હેલ્થકેર ફાર્મા અને હેલ્થકેરમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે.

• ભંડોળ લાંબા ગાળાના ધોરણે મૂડી પ્રશંસા માટે જોઈ રહેલા રોકાણકારો માટે યોગ્ય છે.

Advertisement

આઈટીઆઈસી મ્યુચ્યુઅલ ફંડે તેની કામગીરી એપ્રિલ 2019 માં શરૂ કરી છે અને અત્યાર સુધી રોકાણકારોને સબંધી હોય તેવી 13 મુખ્ય પ્રોડક્ટસ રજૂ કરી છે. આ એએમસીને પરાંપરાગત વિચારસરણી દોહરાવતા રોકડ સમૃદ્ધ વેપારી ગૃહનું પીઠબળ છે. આટલા ટૂંકા સમયગાળામાં આ ગૃહે એએમસીમાં સંચાલન, કર્મચારીગણ, કાર્યપધ્ધતિ અને માળખાની સારી રચના થાય તેની તકેદારી આ ગૃહે રાખી છે જેથી તમામ રોકાણકારોને સરળતાથી રોકાણ કરવાનો લાભ લાંબા સમય સુધી મળતો રહે. ફંડ હાઉસે આ વર્ષે ઓગસ્ટ 2021 સુધીમાં રૂ. 2000 કરોડની એયુએમને પાર કરી છે.

31 ઓગસ્ટ, 2021 પ્રમાણે કુલ રૂ.2,034 કરોડની રકમમાં ઇક્વિટી એયુએમનો હિસ્સો રૂ. 1460 કરોડ છે, જ્યારે હાઇબ્રિડ અને ડેબ્ટ સ્કીમ્સનો અનુક્રમે રૂ. 230 કરોડ અને રૂ. 344 કરોડનો હિસ્સો છે. એયુએમનો વ્યાપ વૈવિધ્યસભર છે જેમાં ટોચના 5 શહેરોનો ફાળો 42.88 ટકા, ત્યાર પછીના 10 શહેરનો ફાળો 24.18 ટકા, ત્યાર પછીના 20 શહેરોનો 16.03 ટકા, ત્યાર પછીના 75 શહેરોનો 13.28 ટકા અને ત્યારબાદના શહેરોનો 3.63 ટકાનો ફાળો છે.

આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડે ‘આઇટીઆઇ ફાર્મા અને હેલ્થકેર ફંડ’ રજૂ કરવાની જાહેરાત કરી છે. એનએફઓ 18 ઓક્ટોબર, 2021 ના રોજ ખુલે છે અને 01 નવેમ્બર, 2021 ના રોજ બંધ થાય છે. આમાં અરજી કરવા માટે ન્યૂનતમ રકમ રૂ. 5000 છે અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં રોકાણ કરી શકાશે. ફંડનું સંચાલન સંયુક્ત રીતે પ્રદીપ ગોખલે અને રોહન કોર્ડે કરશે.

નવા એનએફઓની રજૂઆતની જાહેરાત કરતા, આઈટીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી જ્યોર્જ હેબર જોસેફે જણાવ્યું હતું કે, “કોવિડ -19 મહામારીએ ભારતીય ફાર્મા ક્ષેત્રને નવું જોમ આપ્યું છે. આઇટીઆઇ ફાર્મા એન્ડ હેલ્થકેર ફંડ પરિણામલક્ષી અને સંશોધન-સમર્થિત રોકાણ પ્રક્રિયા અપનાવીને તેના રોકાણકારોને રોકાણનો અનોખો અનુભવ પ્રદાન કરવાનો વિશ્વાસ ધરાવે છે. ફંડ હાઉસ એસક્યુએલ – માર્જિન ઓફ સેફ્ટી, બિઝનેસની ગુણવત્તા અને લો લીવરેજની રોકાણ ફિલસૂફીને અનુસરે છે અને તેના રોકાણકારોને શ્રેષ્ઠ રોકાણનો અનુભવ આપે છે.

ટૂંકા ગાળામાં, એએમસીએ દેશભરમાં વિતરકોનું મજબૂત નેટવર્ક અને પોતાનું ઓફિસ નેટવર્ક બનાવ્યું છે. હાલમાં દેશમાં તેની 27 શાખા મારફતે સંચાલન કરે છે.

સુચિત્રા આયરે


Share

Related posts

નવસારીના ચીખલી હાઇવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત

ProudOfGujarat

નાંદોદ તાલુકાના ઉમરવાથી ઉમરવા નવી વસાહત રોડનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની વેરા વધારા નીતિ સામે વિપક્ષ દ્વારા પાંચબત્તી સર્કલ ખાતે સહી ઝુંબેશ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!