Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઇદે મિલાદુન્નબી તહેવારની સાદગીથી ઉજવણી કરાઈ.

Share

ઇદે મિલાદુન્નબી એટલે ઇસ્લામ ધર્મના દિવસે મુસ્લિમો દ્વારા નિયાઝો તેમજ જુલુસ કાઢી મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકની જિયારત કરાવવામાં આવે છે, પરંતુ કોવીડ-19 ની મહામારીને કારણે ગયા વર્ષે સદંતર જુલુસ મોકૂફ રાખવામાં આવ્યું હતું તો આ વર્ષે સરકારના પરિપત્ર અને કોવીડ-19 ની ગાઇડલાઇનની શરતી પરવાનગીને ધ્યાને લઇ દરેક વિસ્તારની મસ્જિદોમાં ધાર્મિક વિધિ સોશીયલ ડીસ્ટન્સનાં પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ખાતે દર વર્ષે શહેરનો એક માત્ર જુલુસ નીકળતો હતો પરંતુ અંકલેશ્વર શહેર તાલુકા ઇદે મિલાદુન્નબી કમિટી દ્વારા સરકારના પરિપત્રમાં ફકત 15 માણસની પરવાનગી હોવાથી કમિટી દ્વારા નિર્ણય લેવાયો હતો કે આ વર્ષે તમામ લોકો પોતપોતાના વિસ્તારની મસ્જિદો અને પોતાના વિસ્તારમાં જ તહેવારની ઉજવણી કરવાની રહેશે એને ધ્યાનમાં રાખી તમામ લોકોએ સાદગી પૂર્વક તહેવારની ઉજવણી કરી હતી.

અલ ઉમર કમિટી દ્વારા નિયાઝનો આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લોકોએ નિયાઝનો લ્હાવો લીધો હતો, આ પ્રંસગે સૈયેદ સાદાત ગ્યાસુદ્દીન સૈયદ, અર્શદ કાદરી, કમિટીના બખ્તિયાર પટેલ, વસીમ ફડવાલા, નજમુદ્દીન ભોલા, મોહમ્મદઅલી શેખ, ફારૂક શેખ, અમજદ પઠાણ, બખ્તિયાર ભાઈ આશિયાના હોટેલવાળા, આમિર મુલ્લા, ઇકબાલભાઇ મુલ્લા, અલ ઉમર કમિટીના સદસ્યો વગેરે હાજર રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરુપે ૪૮૭ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓ યોજાઈ

ProudOfGujarat

ભરૂચ એલ.સી.બી. પોલીસે પાનોલી જીઆઇડીસી માંથી દેશી બનાવટના બે તમંચા તથા બે જીવતા કારતુસ સાથે બે શખ્સોને આબાદ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!