Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડીયાદ શહેરમાં એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું

Share

નડીયાદ શહેરમાં સંતરામ દેરી નજીક સૌથી મોટા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. ગરબા ગ્રાઉન્ડમાં એક સાથે ૧૦ હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકશે. ગ્રાઉન્ડ ખાતે કેમેરા, ડોકટર ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી ટીમ પાર્કિંગ વોશરૂમની સુવિધા તેમજ ગ્રાઉન્ડમાં સિક્યુરીટી માટે ૫૦ ઉપરાંત બાઉન્સરો તેમજ સિક્યુરીટી ગાર્ડ ખડેપગે તૈનાત રહેશે.

આ ગરબા મહોત્સવના આયોજક કાઉન્સીલર સંજય પટેલ, પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, સમર્પણ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત માં શકિત ઉત્સવ દ્વારા દ્વિતિય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ ગ્રાઉન્ડમાં લાઇટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. તા. ૧૫ મી નારોજ રવિવારે રાત્રે ૮.૩૦ કલાકે માં અંબિકાની આરાધના સાથે ગરબા મહોત્સવનું પ્રારંભ થશે. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ગરબા રમવામાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડમાં ડોકટર ટીમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફટી અંગે સ્પે. ટીમ, ફૂડઝોન, વોશરૂમ તેમજ સિનિયર સિટિઝન માટે બેસવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચ : ચેક રિટર્ન કેસમાં ફરિયાદીનાં ખાતામાં ઓછી રકમ જમા કરાવી છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરી બચાવ લીધેલો જે કોર્ટે અમાન્ય ગણી તેને સજા કરી.

ProudOfGujarat

ભરૂચ:ભોલાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો ચરમસીમાએ.દફ્તરો સાથે ચેડા ન થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીએ જપ્ત કર્યા…

ProudOfGujarat

ભરૂચનાં વાલિયા તાલુકામાં સરકારનો કપાસ લેવાના ધોરણોમાં તઘલખી નિર્ણય બદલવા કોંગ્રેસ પ્રમુખ સહિતની મામલતદાર સમક્ષ રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!