Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં કુમકુમ બંગ્લોઝમાં રૂપિયા 1.70 લાખનાં દાગીનાની ચોરી ..

Share

અંકલેશ્વર નાં કોસમડી ખાતે આવેલા કુમકુમ બંગ્લોઝનાં મકાન નંબર 21ને નિશાન બનાવી તસ્કરો અંદાજે રૂપિયા 1.70 લાખનાં દાગીનાની તસ્કરી કરીને ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વર નાં કોસમડી ખાતે આવેલ કુમકુમ બંગ્લોઝનાં મકાન નંબર 21માં રહેતા ચિત્રકાન્ત ત્રિલોકનારાયણ દાસનાં નું ઘર તારીખ 23 થી 29મી જાન્યુઆરી દરમિયાન બંધ રહેતા તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતુ,અને મુખ્ય દરવાજાનું તાળુ તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા,અને બેડરૂમમાં રહેલા કબાટ માંથી સોના -ચાંદીનાં દાગીના મળીને કુલ રૂપિયા 1.70 લાખની માલમત્તાની ચોરી કરી ગયા હતા.

ચોરી ની જાણ ઘરે આવતા ચિત્રકાન્ત ત્રિલોકનારાયણ દાસને થતા તેઓએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી..પોલીસે તેઓની ફરિયાદનાં આધારે તસ્કરોનું પગેરુ મેળવવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર માં વધી રહેલા ચોરી ના બનાવો થી પોલીસ માટે પડકાર ઉભો થવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

સુરત ગ્રામ્ય LCBનો દરોડો: “ગાયનું શુદ્ધ ઘી”ના નામે શંકાસ્પદ ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું : કામરેજના નવાગામ ઉદ્યોગનગરમાં કાર્યવાહી, ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચમાં તાજેતરમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2024 માં ન્યાયિક અને મુક્ત રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનાર પોલીસ કર્મીઓનું રેન્જ આઇ.જી. દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર ની બચપન પ્લે સ્કૂલ ખાતે વેકેશન દરમ્યાન આવતા મધર્સ ડે ની આગોતરી ઉજવણી નિમિતે નૉનફલંએમ રસોઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું…….

ProudOfGujarat
error: Content is protected !!