Proud of Gujarat
FeaturedGujaratINDIA

કપડવંજમાં માર્ગ સાંકળો હોવાના કારણે વાહનચાલકોને હાલાકી

Share

કપડવંજ શહેરથી દાણા અનારાને જોડતો માર્ગ સાંકળો હોવાના કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી છે. જેને લઇ હાલ સ્થાનિકો અને રસ્તેથી પસાર થતા લોકો દ્વારા માર્ગ પહોળો કરવાની માંગ કરવામાં આવી હતી. કપડવંજથી દાણા અનારા આંબલીયારા અંકલઈ વાસણા જેવા ગામો આવેલા છે. આ ગામો પર થઈને સીધા અમદાવાદ ઈન્દોર એક્સપ્રેસ હાઈવેને જોડતો આ માર્ગ છે તેમજ આ રોડ સાંકડો હોવાને કારણે વારંવાર અકસ્માતો પણ સર્જાય છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

સ્થાનિકો દ્વારા અનેકવાર  રજૂઆત કરવા છતાં પણ આ રોડ પહોળો બનાવવામાં નથી આવી રહ્યો. આ માર્ગ પર ૧૫ થી વધુ ગામડાઓ આવેલા છે. આ ગામડાના રહીશો વેપારીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કપડવંજ આવતા હોય છે. ત્યારે આ માર્ગ દૈનિક ૫૦૦ થી ૬૦૦  વાહનોની અવરજવર થાય છે. જેથી સાંકડો રોડ હોવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે પંથકના રહીશો રાહ જોઈ રહ્યા છે કે આ માર્ગ ક્યારે પહોળો થાય અને તેઓ ને આ માર્ગ પરથી જવામાં રાહત અનુભવાય.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી

ProudOfGujarat

વડોદરા : ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ સપ્તાહ હેઠળ “વિત્તિય સશક્તિકરણ દિવસ” ની ઉજવણી

ProudOfGujarat

શહેરાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખામાં ખાતેદારોને નાણા ન મળતા હાલાકી, બપોર પછી કેશ આવતા ખાતેદારોને રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!