Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યસભાનાં સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી.

Share

ભરૂચનાં પનોતા પુત્ર એવા રાજ્યસભાનાં સાંસદ એવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે રમઝાન ઇદ નિમિત્તે જનતાને શુભેચ્છા પાઠવી સાથે જ કોરોના વાઈરસની મહામારીમાંથી સમગ્ર દેશને મુક્તિ મળે એવી દુઆ કરી હતી. રમઝાન ઇદની શુભેચ્છા પાઠવવા અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલા રોઝ-ઇબાદતને અલ્લાહ-તાલા કબુલ કરે તેમજ ખુશીના આ પર્વમાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને દેશમાં જે કોરોના વાયરસની મહામારી ફેલાય છે એનાથી અલ્લાહ-તાલા મુક્તિ આપે એ દુઆ કરવાની સર્વ દેશવાસીઓને અપીલ કરી હતી. અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણો દેશ આ સંકટમાંથી મુકત થાય અને તમામ દેશવાસીઓ ફરી એકવાર પોતાનુ સામાન્ય જીવન જીવતા થાય અવી જ આ પાક પર્વ નિમિત્તે દુઆ કરું છું. તેમણે દેશવાસીઓને એક થઈને આ સંકટનો સામનો કરવા માટે પણ અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

ભાજપનાં આ ગદ્દાર નેતાઓને જનતા માફ નહીં કરે : કોંગ્રેસનાં આકરા પ્રહારો….જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચના નર્મદા એપાર્ટમેન્ટમાં છેલ્લા ઘણા સમય થી ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસની સરાહનીય કામગીરી શહેરમાં શાકભાજી વેચતા લોકોને માસ્ક અને હેન્ડ ગ્લોઝનું વિતરણ આજે કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!