Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

Share

રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. માલિયાસણ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

Advertisement

Share

Related posts

જુના તવરા ઝેડ જે પટેલ સરસ્વતી વિદ્યાલય હાઇસ્કુલ નો વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાય

ProudOfGujarat

ગૌમાતા રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના બિલ – કાયદાનો ગુજરાત માલધારી સમાજનો વિરોધ, ભરૂચ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

નડીયાદ ખાતે ભારત સરકારના સંચાર મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!