Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

Share

રાજ્યમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો ચાલુ છે. માલિયાસણ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે અને તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના વધુ બની રહી છે ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

Advertisement

Share

Related posts

દેશભરમાં બની રહેલી દુષ્કર્મની ધટનામાં લોકો રોષે ભરાયા છે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે જેમાં સુરતના ડીંડોલી નજીક સાંઇ પોઈન્ટ ચોકડી પાસે વિવિધ સંગઠનો દ્વારા બાળાત્કારીઓને કડક સજા કરવાની માંગણી કરતું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

ProudOfGujarat

ભરૂચના બોરી અને ચાંચવેલ ગામ ખાતે પેટ્રોલપંપ પર ફાયરિંગ કરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરનારા આખરે પોલીસ પકડમાં આવ્યા.

ProudOfGujarat

અમદાવાદમાં રખડતા ઢોરને અંકુશમાં લેવા માટે આજથી નવી નીતિ અમલમાં, માલિક સામે થશે કાર્યવાહી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!