Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

Share

વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (મંદિર) અંકલેશ્વરના આંગણે સત્સંગ સભા યોજાઈ.

શ્રી સ્વામિનારાયણ સેવાનિકેતન સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મંદિરમાં બિરાજતા રાજાધિરાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી તેમજ સ્વામિનારાયણ ભગવાનના મહાપ્રતાપી સંત અમારા આદિગુરુ સદ્. શ્રીગોપાળાનંદ સ્વામીએ સ્વયં પૂજેલા શ્રીહરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમજ ગુરુવર્ય કૃષ્ણસ્વરુપ શાસ્ત્રીજી મહારાજના પવિત્ર માર્ગદર્શન હેઠળ તારીખ 23-12-2023, શનિવારને મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે પ્રથમ સત્સંગસભા યોજાઈ હતી. જેમાં ખાસ્સા પ્રમાણમાં હરિભક્તોએ કથા – વાર્તા અને ધુન – કીર્તનનો દિવ્ય લાભ લઇ પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. ગુરુકુલ પરિવાર, અંકલેશ્વર શહેરમાં વસતા દરેક ભાવિક ભક્તોજનોને આગામી એકાદશીની સત્સંગ સભામાં પધારવા ભાવથી આહ્વાન કરે છે.

Advertisement

Share

Related posts

૧૮૧ અભયમની ટીમના કુશળ કાઉન્સેલિંગ થકી ઘરે પરત ફરી કિશોરી

ProudOfGujarat

રાજપીપલાના જીતનગરમાં સગીર કન્યા સાથે આડા સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવા ઇન્કાર કરતા કન્યાએ આપઘાત કરતા ચકચાર.

ProudOfGujarat

બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ લોન્ચ કરી – બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!