Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

રાજપીપળા ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેરનું આયોજન કરાયું

Share

તારીખ ૦૮/૦૨/૧૮ નાં રોજ ડાયેટ રાજપીપળા ખાતે તૃતિયા ઇનોવેશન યોજાયો હતો. જેમાં નર્મદા જીલ્લાના ડી.એફ.ઓ સાહેબ તેમજ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી, નર્મદા શ્રી ડો. એન.ડી.પટેલ, શ્રી બી.ડી.બારિયા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નર્મદા. સંઘના પ્રમુખ શ્રી હરેન્દ્રસિંહ રાઉલજી તેમજ નર્મદા જીલ્લા પ્રાથમિક અન્ઘના મહામાંન્ત્રીશ્રી ભરતભાઈ પટેલ પ્રાચાર્ય શ્રી એમ.જી.શેખ, દીપકભાઈ ચૌહાણ, સી.આર.સી, બી.આર.સી તેમજ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા.

આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં નવતર પ્રયોગ કરનાર શિક્ષકશ્રીઓને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડવામાં ડી.એફ.ઓ સર એ એમની આગવી શૈલીમા વક્તવ્ય રજુ કર્યું હતું અને ડાયેટ માંથી ૬ થી ૮ તૈયાર કરેલ સી.ડી આપવામાં આવી હતી. જીલ્લા શિક્ષણઅધિકારીશ્રી બી.ડી.બારિયા સરે પણ ગુણવત્તાલક્ષી ઉદબોધન કર્યું હતું. બાળકો અંગ્રેજી, ગણિત જેવા વિષયો પર “ગમ્મત સાથે જ્ઞાન” કરે એવું સ્ટોલ પર જોવા મળેલ છે. લગભગ ૪૫ જેટલા નવતર પ્રયોગ સ્ટોલ પર હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ ચૌહાણ સર એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર પાલેજ નજીક હોટલ તુલસીનાં કંપાઉન્ડમાં પાર્ક કરેલી જીપમાંથી દારૂ સાથે સુરતનાં બે લોકોને ઝડપી લીધા હતા.

ProudOfGujarat

યુ.પી.એલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા દર વર્ષે સિ.એસ.આર એક્ટિવિટી હેઠળ વાઉ (વી.આર યુનાઇટેડ) મહોત્સવનું આયોજન કરવામાં આવે છે

ProudOfGujarat

અંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat
error: Content is protected !!