Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગાયાત્રા યોજાઈ

Share

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગાયાત્રા યોજાઈ

દેશ વ્યાપી અભિયાન હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવે છે , જે અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓ તાલુકા મથકોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન યોજાઈ રહ્યું છે, જે અનુસંધાને માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી બોહળા પ્રમાણમાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Advertisement

માંગરોળના ઝંખવાવમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાયાત્રા યોજાઈ હતી, હર ઘર તિરંગા અંતર્ગત અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં જિલ્લા પંચાયતના સદસ્ય દિનેશ સુરતી સહિતના રાજકીય આગેવાનો, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ, જીઆરડી, ગ્રામજનો બહોળા પ્રમાણમાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સમગ્ર ઝંખવાવ ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું, ડીજેના સથવારે સમગ્ર ગામમાં દેશભક્તિના ગીતો ચોમેર ગવાયા હતા તો સમગ્ર યાત્રા દરમિયાન વંદે માતરમ , ભારત માતાકી જયના સર્વે તિરંગાયાત્રીઓએ નારા લગાવ્યા હતા, સમગ્ર ગામમાં ભારત માતાકી જયના ઘોષ ગુંજી ઉઠ્યા હતા, આ તિરંગા યાત્રા ઝંખવાવની સરકારી પ્રાથમિક શાળાથી શરૂ કરી ગામના રાજમાર્ગો પર ફરી મુખ્ય બજાર સુધી પહોંચી હતી.


Share

Related posts

પાનોલીમાં કાર-બાઈકની ટક્કરમાં ડેડીયાપાડાના બે યુવકોના મોત

ProudOfGujarat

ભરૂચ : નાગોરીવાડ વિસ્તારનાં રહીશો નર્કાગાર સમાન વિસ્તારમાં કરે છે વસવાટ.

ProudOfGujarat

વિરમગામના આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!