ભરૂચ.
ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના અંક્લેશ્વર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ગત 7મી મેના રોજ અંક્લેશ્વર રેલવે સ્ટેશન પર ફરજ પર હતાં. તેઓ આવતી જતી ટ્રેનોના પેસેન્જરો પર નજર રાખી રહ્યાં હતાં. અરસામાં બપોરના સવાબે વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નંબર 2અને 3ની વચ્ચેના ભાગે સીડી નીચે એક દોઢેક વર્ષનું બાળકી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. બાળક બિલકુલ બોલી શકે તેમ ન હોવાથી તેમણે તેમના અન્ય પોલીસકર્મીઓની ટીમ સાથે રેલવે સ્ટેશન વિસ્તારમાં તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમનો કોઇ પત્તો નહીં લાગતાં તેમણે ઘટનાને પગલે અજાણ્યા લોકો સામે બાળકને ત્યજીદેવાના ઇરાદે અરક્ષિત અવસ્થામાં છોડી ભાગી ગયાં મુજબના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. તેમજ બાળકને ભરૂચની ચાઇલ્ડ વેલ્ફર ઓફિસરની હાજરીમાં બાળકને સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવ્યું હતું.
