Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા માંગરોળ તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

Share

વાંકલ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા.
ભગવાન બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આદિવાસી સમાજનો ઉત્સાહ
પરંપરાગત વેશભૂષા, ડોલ-નગારા,પીપારીની ગુંજ વચ્ચે કાર્યક્રમ યોજાયો.
વાંકલ
ઉમરપાડા તાલુકાના  ખાતે 9મી ઑગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્ય ગણપતભાઈના વરદહસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાનાવિવિધ ગામોમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં, ડોલ-નગારા,પીપારી,તુર જેવા પરંપરાગત વાજિંત્રોની ગુંજ સાથે મોટી સંખ્યામાં  ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દેવમોગરા માતાની આરતીથી કરવામાં આવી હતી.અનેક શાળાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.વાંકલ ખાતે આદિવાસી દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરાય હતી. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈએ ભગવાન બિરસા મુંડાજન્મજયંતી તથા રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતુંકે શિક્ષણ સમાજના વિકાસનો મુખ્ય આધાર છે.તેમણે આદિવાસી રાજાઓ તથા શહીદોના બલિદાનને યાદ કરી અંગ્રેજ શાસન સામે લડનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પી. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ તથા સન્માનપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં તાલુકા અને આસપાસના વિસ્તારના આદિવાસી સમાજના લોકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Share

Related posts

અંકલેશ્વરમાં છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા પ્રેમીએ ઘર કંકાસમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ, આગેવાનોના પ્રશ્નો મુદ્દે બેઠક યોજાઈ.

ProudOfGujarat

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!