ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ સોલંકીના રાહબર હેઠળ તારીખ 23-8-2025 ને શનિવારના રોજ બેગલેસ ડે નિમિતે શાળા કક્ષાએ શિક્ષકમિત્રોના સાથ સહકારથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું ઝરણું અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેવી કે ધોરણ 1 અને 2 માં વિષય “મારો પરિચય”, ધોરણ 3 થી 8 માં વિષય ગુજરાત રાજ્યના જિલ્લા, ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ આપી હતી.તેમજ ધોરણ 5 થી 8 માં વિષય રવિન્દ્રનાથ ટાગોરનું જીવન ચરિત્ર વિશે માહિતી શાળાના શિક્ષક જનકભાઈ પટેલે આપી હતી.ઈન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી.બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી.આજના આ બેગલેસ ડે ને ટીમવર્કથી સાર્થક કરી શક્યા હતા…
:- યાકુબ પટેલ..પાલેજ…
Advertisement
