ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.) ના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદઉનનબી તરીકે ઉજવણી કરવામાં આવે છે. આગામી 5મીં સપ્ટેમ્બર શુક્રવાર ના રોજ ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવા શહેર સહિત તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા મહોલ્લાઓમાં તેમજ પોતાની ઇમારતોમાં રંગબેરંગી લાઇટોથી સળગાવવામાં આવે છે. તેમજ મસ્જિદોમાં. મહોલ્લાઓમાં. નાત શરીફ. તકરીર તેમજ કુઆંન ખાની ના પ્રોગ્રામ રાખવામાં આવે છે. અને નયાઝ નું વિતરણ કરવામાં આવે છે. સરકાર કી આમદ મરહબા” અને “જશને ઈદે મિલાદઉનનબી* ની જંદીઓ લગાવવામાં આવે છે. આ પર્વ પ્રસંગે મુસ્લિમ માસ રબીઉલઅવ્વલ ના પહેલા ચાંદથી ઈદ-એ-મિલાદ સુધી ઉજવણી કરવામાં માટે મુસ્લિમ બિરાદરો દ્વારા તાડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે…
Advertisement
:- યાકુબ પટેલ..પાલેજ…
